આનંદો...૨૦૧૩-૧૪ માટે PF ઉપર મળશે ૮.૭૫% વ્યાજ
ચૂંટણીના વર્ષમાં નોકરીયાત વર્ગ ઉપર સરકાર વરસીઃ
નવી દિલ્હી તા.૧૩: નોકરિયાત વર્ગ માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. EPFOએ PF ખાતા
પર વ્યાજ દર ચાલુ નાણાકીય વર્ષ માટે ૮.૭૫% કરવાનો નિર્ણય કર્યો છે. જે
ગયા વર્ષે
૮.૫% હતું. આ નિર્ણયથી પાંચ કરોડ PF ખાતેદારોને ફાયદો થશે. આજે યાજોયેલી બોર્ડની બેઠક બાદ કેન્દ્રીય શ્રમ મંત્રી ઓસ્કર ફર્નાન્ડિઝે આ માહિતી આપી હતી. આ અંગે Employees’ Provident Fund Organisation(EPFO)ની આજે The Central Board of Trustees (CBDT) સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૮.૭૫% ના વ્યાજ દર પર મ્હોર મારી દેવામાં આવી છે. ગયા વર્ષે એટલે કે ૨૦૧૨-૧૩માં ૮.૫૦% વ્યાજ દર હતો. તેની અગાઉના વર્ષે ૨૦૧૧-૧૨માં ૮.૨૪% હતો. હવે આ નવા વ્યાજ દર અંગે નાણા મંત્રાલય પાસેથી મંજૂરી મળ્યા બાદ ખાતેદારના ખાતામાં નવા વ્યાજ દર પ્રમાણે વ્યાજ ઉમેરાશે.
૮.૫% હતું. આ નિર્ણયથી પાંચ કરોડ PF ખાતેદારોને ફાયદો થશે. આજે યાજોયેલી બોર્ડની બેઠક બાદ કેન્દ્રીય શ્રમ મંત્રી ઓસ્કર ફર્નાન્ડિઝે આ માહિતી આપી હતી. આ અંગે Employees’ Provident Fund Organisation(EPFO)ની આજે The Central Board of Trustees (CBDT) સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૮.૭૫% ના વ્યાજ દર પર મ્હોર મારી દેવામાં આવી છે. ગયા વર્ષે એટલે કે ૨૦૧૨-૧૩માં ૮.૫૦% વ્યાજ દર હતો. તેની અગાઉના વર્ષે ૨૦૧૧-૧૨માં ૮.૨૪% હતો. હવે આ નવા વ્યાજ દર અંગે નાણા મંત્રાલય પાસેથી મંજૂરી મળ્યા બાદ ખાતેદારના ખાતામાં નવા વ્યાજ દર પ્રમાણે વ્યાજ ઉમેરાશે.
સૂત્રો અનુસાર PF પર ૮.૭૫% વ્યાજ આવનારી લોકસભાની
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયું છે. EPFO ને ચાલુ નાણાકીય વર્ષમાં
૨૦૭૯૬.૯૬ કરોડની આવક થવાની શક્યતા છે.
રાહત ભર્યા બીજા બે
સમાચાર છે. પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપી દીધો કે સબ્સિડીવાળા ગેસના
બાટલાની સંખ્યા વધારીને ૧૨ થઇ શકે છે. આ સિવાય ઓનલાઇન રિટર્ન દાખલ કરવું
હવે વધુ સરળ થઇ શકશે. પરંતુ એક સમાચાર મુશ્કેલ ભર્યા આવી શકે છે. ATM
ઉપયોગ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. ATM યુઝ કરવાના બદલે ફી વસૂલવાના
પ્રસ્તાવનું SBIએ સમર્થન કર્યું છે. ત્યારબાદ એ વાતની શંકા છે કે ટૂંક
સમયમાં RBI મફત ATM ટ્રાન્ઝેકશન સીમિત કરવાના બેન્કના પ્રસ્તાવ પર
હકારાત્મક નિર્ણય લઇ શકે છે.